અક્ષાંશ-રેખાંશ | ૨૨°૧૮′N ૭૦°૪૭′E | દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત | જિલ્લો | રાજકોટ |
ફોન કોડ | ૦૨૮૧ | સમય ક્ષેત્ર | આઇએસટી (+૦૫:૩૦) |
પીન કોડ | ૩૬૦૦૦x | વાહન કોડ | GJ-3 |
અધિકૃત ભાષાઓ | ગુજરાતી, હિંદી | એરિયા | 104.9 km² |
વિક્રમ સંવત ૨૦૮૦ | |
૨૯ નવેમ્બર, ૨૦૨૩ | બુધવાર |
સૂર્યોદય | 06:59 |
સૂર્યાસ્ત | 17:48 |
- |
રાજકોટ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકાનું મુખ્ય મથક પણ છે. આ શહેર આજી નદીના કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭થી ગુજરાતનાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.
અમદાવાદ, સુરત અને વડોદરા પછી રાજકોટ એ ગુજરાત, ભારતમાં ચોથું સૌથી મોટું શહેર છે. ૨૦૧૨ સુધીમાં ૧.૨૮ મિલિયનથી વધુ વસ્તી સાથે રાજકોટ ભારતમાં ૩૫મું સૌથી મોટું શહેરી સમૂહ છે. રાજકોટ વિશ્વનું ૨૨મું સૌથી ઝડપથી વિકસતું શહેર પણ છે. શહેરમાં રાજકોટ જિલ્લાનું વહીવટી મથક છે, જે રાજ્યની રાજધાની ગાંધીનગરથી ૨૪૫ કિમી દૂર છે અને આજી અને ન્યારી નદીઓના કિનારે આવેલું છે. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ બોમ્બે રાજ્યમાં વિલીનીકરણ કરતા પહેલા રાજકોટ ૧૫ એપ્રિલ ૧૯૪૮ થી ૩૧ ઓક્ટોબર ૧૯૫૬ સુધી સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની હતી. રાજકોટને ૧ મે ૧૯૬૦ થી ગુજરાત રાજ્યમાં પુનઃ સામેલ કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરની સ્થાપના વિભોજી અજોજી જાડેજાએ કરી હતી. તેમણે પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.
ઈ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયનાં જૂનાગઢ નવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યું. આમ રાજકોટનાં ઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.
રાજકોટ બ્રિટીશ રાજના સમયગાળા દરમિયાન ભારતના રજવાડાંઓમાંનું એક રજવાડું હતું. બોમ્બે પ્રેસિડેન્સીની પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીનું તે ૯ તોપોની સલામી ઝીલતું રાજ્ય હતું. તેની રાજધાની રાજકોટમાં હતી, જે આજી નદીના કાંઠે સૌરાષ્ટ્રના ઐતિહાસિક હાલાર પ્રદેશમાં સ્થિત છે. વર્તમાનમાં રાજકોટ ગુજરાત રાજ્યનું ચોથું સૌથી મોટું શહેર છે. આ જાડેજા વંશ શાસિત ૬ઠ્ઠું સૌથી મોટું રાજ્ય હતું.
રાજકોટ રજવાડાંની સ્થાપના ઇ.સ.૧૬૨૦માં વિભોજી અજોજી જાડેજાએ કરી હતી, જેઓ નવાનગરના જામ સતાજીના પૌત્ર હતા. તેમની સ્થાપના પહેલાં આ પ્રદેશ સરધાર નામના રજવાડાંનો ભાગ હતો. વર્ષ ૧૯૪૭માં ભારતના બ્રિટન થી આઝાદ થયા બાદ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ કાઠિયાવાડના જાડેજા રાજ્યોની સાથે રાજકોટે પણ ભારત સંઘ સાથે વિધીવત જોડાણ કર્યું હતું.
રાજકોટ સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલું છે. દરિયો લગભગ ૨૦૦ કિમી દૂર છે. પરંતુ શહેરમાં ગરમીનો ઉનાળો હોય છે. જેમાં તાપમાન ક્યારેક ૪૦ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે. શિયાળામાં તાપમાન લગભગ ૧૦ થી ૨૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે. કેટલાક પ્રસંગો સિવાય, શિયાળો સામાન્ય રીતે આનંદદાયક હોય છે. પરંતુ ઉનાળો કદાચ ક્યારેક જબરદસ્ત હોય છે. વરસાદની મોસમ ૨૦ થી ૩૦ જૂનની આસપાસ શરૂ થાય છે અને લગભગ ઓક્ટોબરમાં સમાપ્ત થાય છે.
રાજકોટમાં ઉષ્ણકટિબંધીય ભીનું અને શુષ્ક વાતાવરણ છે, જેમાં માર્ચના મધ્યથી જૂનના મધ્ય સુધી ગરમ, શુષ્ક ઉનાળો, જૂનના મધ્યથી ઓક્ટોબર સુધી ભીનું ચોમાસુ, જ્યારે શહેરમાં સરેરાશ ૬૨૦ મીમી વરસાદ પડે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીના મહિનાઓ હળવા હોય છે, સરેરાશ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે, ઓછી ભેજ સાથે.
LINES OF CODE
CUPS OF COFFEE
FINISHED PROJECTS
SATISFIED CLIENTS
Lorem ipsum dolor sit amet, consecte adipiscing elit. Suspendisse condimentum porttitor cursumus.
અમારો સંપર્ક કરો Our Headquarters are in Australia, USA, Europe, Asia, Africa